હવે આમ્બેડકરની મૂર્તિનું શિરચ્છેદ, બસપાએ મચાવ્યો હંગામો

બસપાના કાર્યકર્તાઓએ જિલ્લામાં વિરોધ પ્રદર્શન કર્યા અને રસ્તોજામ કર્યો
લખનૌમાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની મૂર્તિનું સર કલમ કર્યા બાદ હવે આજમગઢમાં ભીમરાવ આંબેડકરની અલગ-અલગ સ્થળો પર લગાવાયેલી ત્રણ મૂર્તિનું શિરચ્છેદ કરવામાં આવ્યું. મૂર્તિઓ તોડવાની ઘટના બાદ બસપાના કાર્યકર્તાઓએ જિલ્લામાં વિરોધ પ્રદર્શન કર્યા અને રસ્તોજામ કર્યો છે. પોલીસે જણાવ્યાનુસાર, શુક્રવારે રાત્રે આંબેડકરની મૂર્તિનું માથુ તોડી મહેનગર વિસ્તારના કટાત ગામે ફેંકી દેવામાં આવ્યું. નવી પલિયા અને જિયાસાથ ગામમાં પણ આંબેડકરની પ્રતિમાઓને નુક્સાન પહોંચાડવામાં આવ્યું છે.
જ્યારે સ્થાનીક લોકોને આ ઘટના અંગે પૂછવામાં આવ્યું તો બસપા કાર્યકર્તાઓ સાથે મળીને ચાર કલાક સુધી મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો હતો. જિલ્લાના વરિષ્ઠ અધિકારી દ્વારા નવી મૂર્તિ લગાવવા અને આરોપીઓની ધરપકડ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યા બાદ તેઓ માર્ગ પરથી ખસ્યા હતા.
ગુરુવારે ઉત્તર પ્રદેશ નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની લખનૌના ગોમતીનગર સ્થિત ભીમરાવ આંબેડકર સામાજિક પરિવર્તન સ્થળમાં લગાવાયેલી મૂર્તિનું માથુ ધડથી અલગ કરી નાંખ્યું હતું.






