શીખોના ધર્મગ્રંથ ગુરુગ્રંથ સાહેબની 406મી જયંતી નિમિત્તે અમૃતસરમાં રામસર ગુરુદ્વારાથી સુવર્ણ મંદિરમાં શ્રી અકાલ તખ્ત સુધી શીખ શ્રદ્ધાળુઓએ યાત્રા કાઢી હતી. આ યાત્રામાં પવિત્ર ગુરુગ્રંથ સાહેબને રામસરથી અકાલ તખ્ત સુધી લઈ જવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શીખોએ ભાગ લીધો હતો. આ ગુરુગ્રંથ સાહેબની યાત્રા દરમિયાન શીખ યુવાનોએ કેટલાંક અંગ કસરતના દાવપેચ અને શસ્ત્રવિદ્યાની ઝાંખી પણ કરાવી હતી. જોઈએ આ યાત્રાની એક ઝલક......