સંખ્યાબંધ લોકોને ઈજા, મૃત્યુ આંકમાં વધારો થવાની દહેશત
રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૬ પર આવેલા ફૂટ બ્રિજની રેલિંગ તૂટતાં સર્જાયેલી દુઘર્ટના
અહીં ભરાયેલા મહા કુંભમેળામાં રવિવારે મૌની અમાસના દિવસે પવિત્રસ્નાન હોવાથી કરોડો શ્રદ્ધાળુઓ ઉમટયા હતા. આથી સાંજે પાછા ફરતી વખતે ભારે ભીડના કારણે અલ્હાબાદ રેલવે સ્ટેશને સર્જાયેલી એક દુર્ઘટનામાં 36 વ્યક્તિનાં મૃત્યુ થયાં છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની શકયતા છે.
જોકે, સત્તાવાર આંકડામાં ૧૦ વ્યક્તિનાં મૃત્યુ દર્શાવાયાં છે. જોકે, ઉત્તરપ્રદેશના મંત્રી આઝામ ખાને 36 વ્યક્તિનાં મૃત્યુ થયાં હોવાની પુષ્ટિ આપી છે. રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.૬ પર આવેલા ફૂટ બ્રિજની રેલિંગ તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. મુખ્યમંત્રી અખિલેશ યાદવે ઘટનાની તપાસ કરવા આદેશ કર્યો છે.આ અગાઉ દિવસે કુંભનગરીના સેક્ટર-૧૨ ખાતે પણ ભાગદોડની દુર્ઘટનામાં બે વ્યક્તિએ જાન ગુમાવ્યા છે.
રવિવારે મૌની અમાસ હોવાથી ત્રણ કરોડ લોકો પવિત્રસ્નાન માટે અહીં ઉમટી પડયા હતા. આથી સાંજે પાછા ફરતી વખતે રેલવે સ્ટેશને પ્રચંડ ભીડ હતી, તે દરમિયાન પ્લેટફોર્મ નંબર પાંચ અને છ વચ્ચેના ફૂટઓવર બ્રિજ પર ભારે ભીડ જમા થઇ જતાં, પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. આથી નાસભાગ મચી ગઇ હતી જેના કારણે બ્રિજની રેલિંગ તૂટી જતાં અસંખ્ય લોકો નીચે પટકાયા હતા. કેટલાક લોકો તો નીચે ઊભેલી ટ્રેનની છત પર પડયા હતા.
(ઘટનાની હૃદયદ્રાવક તસવીરો તેમજ વધુ સમાચાર માટે આગળ ક્લિક કરો...)