જોહરીએ સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર બલવિંદર સિંહને હટાવવાની માગણી કરી, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં એક નવો વળાંક આવ્યો છે, આઈપીએસ ઓફિસર ગીથા જોહરીએ આ કેસની તપાસ કરી રહેલ સીબીઆઈ પર ગંભીર આરોપ મુક્યો છે.
ગીથા જોહરીએ જણાવ્યું છે કે સીબીઆઈ સોહરાબુદ્દીન કેસમાં ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓને ફસાવવા માટે દબાણ કરી રહી છે. જોહરીએ આ અંગ સુપ્રિમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરી છે. આ અરજીમાં જોહરીએ સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર બલવિંદર સિંહને હટાવવાની માગણી કરી છે.
સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં જોહરીએ વધુમાં જણાવ્યું છે કે સીબીઆઈ તેના પર સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓના નામ સામેલ કરવાનું દબાણ કરી રહી છે.
ભાજપના નેતા અમિત શાહ પહેલાથી જ જેલમાં છે. જોહરીએ માંગ કરી છે કે સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર બલવિંદર સિહને હટાવવામાં આવે અને તેને ગવાહ બનાવવામાં આવે. જોહરીએ એ પણ આરોપ લગાવ્યો છે કે સીબીઆઈએ તેની ખાનગી સહાયકને પણ ઘમકાવી છે.