કુલદીપ નાયરના પુસ્તકથી સિખ થયાં નારાજ, પ્રતિબંધની કરી માંગ
Agency, Amritsar
| Jul 14, 2012, 16:37PM IST

પ્રદર્શનકારીઓએ નાયર અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કહ્યું કે, તેમના પુસ્તકથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે, કારણ કે, પુસ્તકમાં ભિંડરાંવાલેએ આતંકવાદી ગણાવ્યા હતા.
દમદમી ટકસાલ અમૃતસર સાથે સિખ સ્ટૂડેન્ટ ફેડરેશન (મેહતા)ના અધ્યક્ષ હરજીત સિંહે કહ્યું, ‘ આ પ્રકારના લખાણથી ન તો માત્ર લાખો સિખની ભાવનાઓ દુભાઇ છે, પરંતુ તેનાથી દૂરગામી પરિણામ થઇ શકે છે.’
ફેડરેશનના ઉપાધ્યક્ષ દારા સિંહે કહ્યું, ‘કુલદીપ નાયરના પુસ્તક પર ત્વરિત પ્રતિબંધ લગાવવું જોઇએ.’






