“પાંચ સભ્યોનાં પરિવારને નભાવવા મહિને રૂ.600 પૂરતા"
divyabhaskar.com
| Dec 16, 2012, 14:45PM IST

દિલ્હીના મુખ્યપ્રધાન શિલા દિક્ષીતનું વિવાદાસ્પદ નિવેદન
અન્નશ્રી યોજનાનો પ્રારંભ
વધતી મોંઘવારીનાં કારણે સામાન્ય જનતાનું જીવવું દુષ્કર બની રહ્યું છે, ખુદ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ પણ વધતી જતી મોંઘવારી અંગે ચિંતા કરી ચૂક્યાં છે. ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન શીલા દિક્ષીતના નિવેદનથી લોકોની મજાક ઉડાવતા હોય તેમ જણાય છે.
શીલા દિક્ષીતનું કહેવું છેકે, પાંચ સભ્યોનાં ગરીબ પરિવાર માટે માસિક રૂ. 600 પૂરતા છે. અન્નશ્રી યોજનાની શરૂઆત કરતી વેળાએ શીલા દિક્ષીતે આ વાત કરી હતી. તેમના કહેવા પ્રમાણે, દાળ, રોટલી, અને ચોખા માટે માસિક રૂ.600ની કેશ સબ્સિડિ પૂરતી છે. યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીની હાજરીમાં શીલા દિક્ષીતે આ વાત કરી હતી.
શિલા દિક્ષીતે વધુ શું કહ્યું વાંચવા તસવિર સ્લાઈડ કરો.





