- ગુપ્તચર એજન્સી તમારી વાતચીત કાયદેસર રીતે આંતરી શકશે
એ લોકો માટે ખરાબ સમાચાર છે કે જે લોકો ગુપ્તચર એજન્સીઓ દ્વારા તેની આંતરિક જિંદગી પર વોચ રાખવાની ફરિયાદ કરતા રહેતા હોય છે. વિદેશમાં જાસૂસી કરનારી ભારતીય ગુપ્તચર એજન્સી રોનો યુપીએ સરકારે એ અધિકૃત એજન્સીઓની યાદીમાં સમાવેશ કરી લીધો છે જે કાયદેસર ફોન કોલ, ઇમેલ સહિત દરેક પ્રકારના ઇલેક્ટ્રોનિક સંચારને ઇન્ટરસેપ્ટ કરી શકે છે. સરકારની આ અધિસૂચનાને તાત્કાલિક અમલમાં પણ મુકી દેવાઇ છે.
1967માં રોની સ્થાપના બાદ તેના ઇતિહાસમાં એ પહેલીવાર થયું છે કે જ્યારે તેને વિદેશોમાં પોતાની જાસૂસી ગતિવિધિઓ સિવાય ભારતીય નાગરિકોની જાસૂસીની પણ મંજૂરી અપાઇ હોય. ગૃહમંત્રાલયે રોને એ આઠ માન્યતાપ્રાપ્ત કાયદો-વ્યવસ્થા સાથે સંકળાયેલી એજન્સીઓમાં સામેલ કરી છે જેને સુપ્રીમ કોર્ટે કાયદેસર રીતે વાતચીત આંતરવા માટે અધિકૃત કરી છે. જો કે આ પગલું સરકારના ઇરાદા પર ગંભીર સવાલો પણ પેદા કરે છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે આઇટી મંત્રી કપિલ સિબ્બલે સોશિયલ મીડિયા પર સ્ક્રીનીંગની યોજનાનો સંકેત આપ્યો છે.
સરકારની મંજૂરી પ્રમાણે હવે રો દરેક ડેટાને પકડવા માટે ઇન્ટરનેશનલ ગેટવેઝ પર પોતાના કોમ્યુનિકેશન ઇન્ટરસેપ્શન ઉપકરણો લગાવી શકશે પછી ભલે તે ભારતમાંથી વિદેશ થતાં ફોન કોલ હોય અથવા અન્ય પ્રકારનો કોઇ ઇલેક્ટ્રોનિક ડેટા હોય.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.