આમ તો યોગગુરૂ બાબા રામદેવ હાલના દિવસોમાં કંઈકને કંઈક નિવેદન આપીને ચર્ચામાં બનેલા રહે છે. હવે યોગગુરૂ રામદેવે કહ્યું છે કે તેમના રાજકીય પાવરની કોઈ જરૂરત નથી. કારણ કે જ્યારે એક વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી તેમના પગમાં આવીને બેસે છે, તો તેવામાં તેમને ક્યાં પાવરની આવશ્યકતા છે?
બિહારના બેતિયામાં ચાર દિવસની યાત્રાએ પહોંચેલા યોગગુરૂ બાબા રામદેવે લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે તમે લોકોને બતાવો કે જ્યારે તેમની નીચે મોટા-મોટા રાજનેતાઓ બેસે છે, તો તે ખુરશી તેવો કેવી રીતે લઈ શકે છે? રાજકારણમાં એવો ક્યો વ્યક્તિ છે કે જે તેમના રસ્તા પર ચાલી શકે?
તેમણે કહ્યું હતું કે ચાહે વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય તમામ તેમના પગમાં બેસે છે. જે સિંહાસન તેમના ચરણોમાં બેસતું હોય, તેઓ તે સિંહાસન પર કેવી રીતે બેસે? હવે આટલા મોટા-મોટા રાજનેતાઓ જ્યારે તેમની નીચે બેસી જ રહ્યાં છે, તો તેઓ સૌથી ઉપર થઈ ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે તેમને હવે કોઈ પણ પાવરની કોઈ જરૂરત રહી નથી.