જમ્મુ-કાશ્મીરમાં સોમવારે અલગતાવાદીઓના પ્રસ્તાવિત બંધ સાથે કેટલાંક વિસ્તારોમાં કર્ફ્યું ચાલુ રહેવાથી શ્રીનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત બન્યું હતું. શ્રીનગરના પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફયું ચાલુ છે. બડગામ અને અનંતનાગમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે સાવધાનીના પગલાં લેવાયા છે. હુર્રિયતના કટ્ટરપંથી જૂથના નેતા સૈયદ અલી ગિલાનીના કાશ્મીર છોડો આંદોલન હેઠળ આજે બંધનું એલાન છે. જેમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસ પર પથ્થરમારાની ઘટનાઓ પણ બની છે. પોલીસે પણ સામે ટિયરગેસ અને ફાયરિંગ કરવાની ફરજ પડી છે. આ ફાયરિંગમાં એક યુવક ઘાયલ થયો છે. કાશ્મીરની અશાંત પરિસ્થિતિઓને જોવો કેટલીક તસવીરો દ્વારા.....