બાળકને પેશાન પીવળાવાના મામલામાં મનમોહનસિંહને નોટિસ!
વાર્ડને બાળકીને પથારી ભીની કરવા બદલ પોતાના પેશાન પીવા કરી હતી મજબૂર
વિશ્વ ભારતી યુનિવર્સિટીની એક સ્કૂલમાં પાંચમા ધોરણની વિદ્યાર્થિનીને સ્વમૂત્ર પીવા મજબૂર કરવાના મામલામાં પ્રધાનમંત્રી મનમોહનસિંહને કોર્ટના અનાદરની નોટિસ મોકલવામાં છે.
વડાપ્રધાન મનમોહનસિંહ યુનિવર્સિટીના ચાન્સલર છે. કોલકાતા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ જે એન પટેલ અને જસ્ટીસ સંબુધા ચક્રવતીએ એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન નોટરી જારી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટીએ વિદ્યાર્થિનીને આ રીતની સજા આપીને કોર્ટના આદેશનો અનાદર કર્યો છે.
હાઇકોર્ટે વર્ષ 2004માં બાળકોને કોઇ પણ રીતના શારીરિક કે માનસિક ત્રાસ આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. અરજીકર્તાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સુભાંત દત્તા ગુપ્તા, રજીસ્ટ્રાર મણિમુકુટ મિત્રા, વોર્ડન ઉમા પોદ્દાર અને પશ્વિમ બંગાળના શિક્ષા સચિવ બિક્રમ સેનને પણ નોટિસ પાઠવામાં આવી છે.







