નરેન્દ્ર મોદીના રસ્તામાં છે આ પાંચ મુશ્કેલીઓ
-મહેસાણાથી શરૂ કરી રાજ્યભરની રથયાત્રા
-આ વખતની ચૂંટણીઓ એટલી સરળ નહીં હોય
આ વર્ષના અંતભાગમાં ગુજરાતમાં ચૂંટણીઓ યોજાશે. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહેસાણાના બહુચરાજી ખાતેથી યાત્રા શરૂ કરી દીધી છે. એક મહિના સુધી ચાલનારી આ રથયાત્રા ગુજરાતમાં ફરી વળશે. આ રથયાત્રામાં ગુજરાત સરકારની સિદ્ધિઓ અને કેન્દ્ર દ્વારા ગુજરાતને થતા કથિત 'અન્યાય'નો મુદ્દો આગળ કરીને સરકાર પાસે જશે.
સાત ઓક્ટોબર 2001થી મોદી ગુજરાતના મુખ્યપ્રધાન છે.આમ છતાં ચોથી વખત ગુજરાતના મુખ્યપ્રધાન બનવાની રાહ તેમના માટે સરળ નહીં હોય. આ વખતની વિધાનસભા ચૂંટણીઓ તેમના માટે મોટી પરીક્ષા સાબિત થઈ શકે છે. આ ચૂંટણીઓનાં પરિણામોથી નક્કી થઈ જશે કે દેશનાના રાજકારણમાં મોદીનો કેવો ડંકો વાગશે ?
નિષ્ણાતોનું માનવું છે કે, અનેક કારણોસર ગુજરાતની ચૂંટણીઓ મોદી માટે મોટો પડકાર બની શકે છે. આ માટે અનેક કારણો જવાબદાર બની શકે છે. નજર કરીએ મોદીના માર્ગમાં રહેલી મુશ્કેલીઓ પર.
(વધુ વિશ્લેષણ વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.)






