શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના લેહ વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે, અત્યાર સુધીમાં 165 નાગરિકોના મોત થયા છે. જેમાંથી 140 લાશોની ઓળખાણ કરી લેવામાં આવી છે. જ્યારે 400 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. જેની સારવાર ચાલુ છે. 81 વિદેશીઓને બચાવી લેવામાં આવ્યા હતા. હાલ ઘરોનો નાશ થયો છે. જેના કારણે, નાગરિકોને હંગામી નિવાસસ્થાનોમાં રહેવાની ફરજ પડી રહી છે. જોકે, નાગરિકો હસતાં મોઢે જીંદગીને પાટે ચડાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.