રોકાણ કરવું એટલે જાણે કે બગીચો તૈયાર કરવો
Uma Sasikant
| Jul 28, 2012, 22:17PM IST

રોકાણના કોઈપણ વિકલ્પ અંગે આપણે વિચારીએ ત્યાર એવું ઈચ્છીએ છીએ કે સતત વળતર મળતું રહે. આને બગીચાની રીતે સમજાવવું હોય તો બગીચામાં ઘાસની લંબાઈને યોગ્ય રીતે રાખવા સમયાંતરે તેનું ટ્રીમીંગ કરાય છે. એવી જ રીતે લોનનો પણ એક ચોક્કસ ઉપયોગ હોય છે. જો આપ બગીચામાં શાકભાજી ઉગાડતા હો તો તેની સતત દેખભાળ કરવી પડતી હોય છે. જો તમે આંબો વાવ્યો હોય તો તેના માટે તમારે ધીરજ રાખવી પડતી હોય છે. આંબામાં સીઝન સિવાય સમગ્ર વર્ષ દરમિયાન ફળ મળશે નહીં અને ફાયદો પણ વર્ષો પછી થશે. આથી આવો વિકલ્પ પસંદ કરતા અગાઉ સાવધાની રાખવી જોઈએ.
જ્યારે આપણે ટૂંકા ગાળાની થાપણનો વિકલ્પ પસંદ કરતા હોઈએ ત્યારે એ સ્પષ્ટ હોય છે કે આપણે તેમાં લોનને જોઈએ છે. આવી સ્થિતિમાં વળતરની પરવાહ આપણે કરતા નથી. આપણે એવું ઈચ્છીએ છીએ કે થોડા થોડા પૈસા થોડા થોડા સમયે મળતા રહે. જ્યારે આપણે ત્રણથી પાંચ વર્ષની થાપણ કે બોંડમાં રોકાણ કરીએ છીએ ત્યારે જાણે કે આપણે બગીચામાં શાકભાજી ઉગાડતા હોઈએ છીએ. તેમાં સમય આવ્યે જ લાભની આશા રાખીએ છીએ. જ્યારે આપણે શેરબજાર કે રિયલ એસ્ટેટનો વિકલ્પ પસંદ કરીએ છીએ ત્યારે તે આંબાના વૃક્ષનું વાવેતર બરાબરનો વિકલ્પ છે. તેમાં વધારે ધીરજ અને સારા તથા ખરાબ સમયમાંથી પસાર થવાની ક્ષમતા હોવી જોઈએ.
રોકાણ સમયે જોખમનું પણ ધ્યાન રાખવો. જો આપણી પાસે રોકાણ માટે દસથી પંદર વર્ષનો સમય હોય તો આપણે શેરબજારમાં આવતી તેજી કે કડાકાની ચિંતા કરવી જોઈએ નહીં. જેમ બગીચામાં શાકભાજી, આંબાની ઝાડની અલગ જગ્યા અને ઉપયોગીતા છે એવી જ રીતે લોન અને થાપણની પણ અલગ ઉપયોગીતા છે.
- ઉમા શશિકાંત, એમડી, સેન્ટર ફોર ઇન્વેસ્ટમેન્ટ એજ્યુકેશન એન્ડ લર્નિંગ, મુંબઇ
uma.shashikant@
dainikbhaskargroup.com





