Exclusive: ગ્વાટેમાલામાં ગુજરાતીઓ સહિત 150થી વધુ ભારતીયો લાપતા
Anup Kumar Mishra, New Delhi
| Aug 01, 2012, 08:04AM IST

-માનવ તસ્કરીની આશંકા, 150 ભારતીયો લાપતા
-મોટાભાગનાં ભારતીયો ગુજરાત અને પંજાબના હોવાની શંકા
સારી આવક અને ભવ્ય લાઈફ સ્ટાઈલની આશામાં યુવાનો અમેરિકા તરફ નજર કરે છે. આ માટે ગેરકાયેદસર રસ્તા અખત્યાર કરતાં પણ તેઓ ખચકાતાં નથી. અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા માટે નીકળેલાં દોઢસોથી વધુ ભારતીયો છેલ્લા બે વર્ષથી ગુમ છે.
આ તમામ યુવાનો ગ્વાટેમાલા પહોંચીને ગુમ થયા છે. મોટાભાગના યુવાનો ગુજરાત અને પંજાબના છે. એવી આશંકા સેવવામાં આવે છે કે મોટાભાગના યુવાનોને માનવ તસ્કરો અથવા ડ્રગ્સ માફિયાના હાથે મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.
(એક ગુજરાતીની કહાણી વાંચવા આગળ સ્લાઈડ કરો)







