વડાપ્રધાન મનમોહન સિંહે રક્ષાબંધનની ઉજવણી કરી છે. વહેલી સવારે વડાપ્રધાન નિવાસે બાળકો અને મહીલાઓએ વડાપ્રધાન મનમોહન સિંહને રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવા માટે કતાર લગાવી હતી. વડાપ્રધાન મનમોહન સિંહે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર નિમિત્તે દેશને શુભકામાનાઓ પાઠવી છે.