ટુરિસ્ટ વિઝા પર આવતાં વિદેશીઓ પર સરકારના નિયંત્રણો
કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે કાઢી નોટિસ
એક પર્યટકના અનુભવ પરથી લીધો બોધ
ભારતે વિદેશથી આવતા નાગરિકો અને તેમની પત્રકારત્વ સંદર્ભની પ્રવૃત્તિ અંગે કેટલાક નિયંત્રણો લાદ્યાં છે. ભારત સરકારે ઠેરવ્યું છે કે, ટુરિસ્ટ વિઝા પર ભારત આવનાર વ્યક્તિ અહીં પત્રકારત્વ નહીં કરી શકે. આ સંદર્ભે એક નોટિસ પણ કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે કાઢી છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, "ટુરિસ્ટ વિઝા આપવાનો એકમાત્ર હેતુ હોય છે કે, વિદેશી નાગરિક ભારત આવીને પર્યટન અને પરિભ્રમણ કરે. પરંતુ આના આધાર પર કોઈ વ્યક્તિને પત્રકારત્વ કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવાની મંજૂરી આપી શકાય નહીં. "
અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીના જીયોફિઝિસ્ટ રોજર બિલહમના ભારત પ્રવાસ પછી સરકારે આ નિર્ણય લીધો. તેમણે વર્ષ 1967થીસતત ટુરિસ્ટ વિઝા પર ભારતની મુલાકાત લીધી હતી. રોજરે ભારત અંગે 81 આર્ટિકલ્સ લખ્યાં. તેમાંનાં મોટાભાગના લેખો ભારતની પરમાણુ યોજનાઓ અંગે હતા. મે 2012માં દિલ્હી એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.






