ગેંગરેપ કેસઃ પીડિતાને પ્લેનમાં સિંગાપોર લઈ જવા સામે IMAનો પ્રશ્નાર્થ

દિલ્હીમાં 13 દિવસ પૂર્વે ચાલુ બસમાં ગેંગપરેપનો શિકાર બનેલી 23 વર્ષીય ફિઝીયોથેરાપીની વિદ્યાર્થીનીના મૃત્ય અંગે સાંતવના આપતાં ઈન્ડિયન મેડીકલ એસોસિએશને સરકારના પગલાં સામે પશ્નાર્થ કર્યો છે. પીડિતાને વધુ સારવાર્થે પ્લેન મારફતે સિંગાપુરમાં લઈ જવામાં આવી હતી તેની સામે આઈએમએએ સવાલ ઉઠાવતાં કહ્યું કે, શું ભારતમાં આ પ્રકારના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલ ઉપલબ્ધ નથી. તેમજ સરકારને સણસણતો સવાલ પણ કર્યો હતો કે, પીડિત યુવતીને સિંગાપુર ખસેડવામાં આવી તો તેનો હેતુ માત્ર તબીબી સારવાર પૂરતો હતો કે અન્ય કારણો જવાબદાર હતાં.
ઉલ્લેખનીય છે કે દિલ્હી ગેંગરેપમાં પીડિત યુવતીની સફદરગંજ હોસ્પિટલમાં 10 દિવસ સુધી સારવાર કર્યા બાદ ગત બુધવારના રોજ તેને પ્લેન મારફતે સિંગાપુર ખસેડવામાં આવી હતી. સરકારન આ પગલાં સામે દેશના કેટલાય તબિબોએ પશ્નાર્થ કર્યો હતો, તો કેટલાકે સીધો નિશાનો લગાવતાં આ પગલાને રાજકિય ઠેરવ્યું હતું.
વધુ અહેવાલ વાંચવા તસવીર સ્ક્રોલ કરો...
મહિલાઓનું સન્માન કરવાનો સંકલ્પ લો
ભારતના યુવાનો ઈન્ડિયાગેટથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી પ્રદર્શન થઈ રહ્યું છે. કાયદો જ્યારે બનશે, ત્યારે બનશે. જ્યારે દિલથી મહિલાઓની ઈજ્જત કરીશું, ત્યારે તેમની સામેનાં ગુનાઓ અટકશે. આ સમયે મહાઅભિયાનમાં જોડાવાનો સંકલ્પ કરી શકીએ. અમારા આ મહાઅભિયાનમાં જોડાઓ અને સંકલ્પ કરો કે હું મહિલાઓનું સન્માન કરીશ.






