તા. 26 જાન્યુઆરીના ભારતના ગણતંત્ર દિવસ નિમિતે નવીદિલ્હીના રાજપથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશના ત્રણેય દળો ઉપરાંત અર્ધલશ્કરી દળોના જવાનો પણ ભાગ લે છે. જેના માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભારે ઠંડી અને લગભગ નહીં જેવી દ્રશ્યતાની વચ્ચે પણ પ્રજાસત્તાક દિવસ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.