Advertisement
Home >> National News >> Latest News >> National >> Feashman Died In Fireing In Amerika

અમેરિકન નૌકાદળના ફાયિંરગમાં ભારતીય માછીમારનું મૃત્યુ થયું

Agency, New Delhi | Jul 17, 2012, 23:37PM IST
 
 

- ભારતે વાંધો ઉઠાવ્યો : અમેરિકાને અફસોસ, તપાસનું આશ્વાસન

અરબી સમુદ્રમાં અમેરિકન નૌકાદળની ગોળીબારીમાં એક ભારતીય માછીમારનું મૃત્યુ થયું છે. હુમલામાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. તમામ તમિલનાડુનાં રામનાથપુરમ જિલ્લાના રહેવાસી છે. ઘટનાના સમયે તે તમામ મોટરબોટ ઉપર સવાર હતા. ઘટના સોમવાર રાતની છે.

મૃત્યુ પામેલા માછીમારનું નામ સેકર છે. ઘાયલોની ઓળખાણ શિનાજત મુનિરાજ, પવનપુત્ર અને મુરુગનના રૂપમાં થઇ છે. ભારતમાં અમેરિકન રાજદૂત નેન્સી પોવેલે મંગળવારે સવારે વિદેશ સચિવ રંજન મથાઇને ફોન કરીને ઘટના પ્રત્યે અફસોસ વ્યક્ત કર્યો હતો. સાથે ઘટનાની તમામ તપાસ કરાવવાનું આશ્વાસન આપ્યું છે. આ દરમ્યાન વિદેશમંત્રી એસએમ કૃષ્ણાએ સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)માં રાજદૂત એમકે લોકેશ પાસેથી ઘટના અંગેની વધુ વિગતો માંગી છે.

- કેવી રીતે બની ઘટના

અમેરિકન જહાજ યૂએસએનએસ રૈઘ્પાહનોક દુબઇથી ૩૦ માઇલ દક્ષિણ-પશ્ચિમ જેબેલ અલી પોર્ટ ઉપર ઉભુ હતું. ભારતીય માછીમારોની બોટ અમેરિકન જહાજ તરફ વધી રહી હતી. અમેરિકન જહાજે ચેતવણી સંદેશ આપ્યો. પણ મોટર બોટ ઉભી ન રહી. તે પછી અમેરિકન જહાજના
સુરક્ષા ગાડ્સેg ગોળીબારી શરૂ કરી દીધી હતી.

- ઇરાને વાંધો ઉઠાવ્યો
દુબઇની ઘટના બદલ ઇરાને વાંધો ઉઠાવ્યો છે. ત્યાંના વિદેશમંત્રાલય તરફથી જાહેર થયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા દ્વારા થયેલા આવા હુમલાઓના કારણે ક્ષેત્રીય સુરક્ષા ખતરામાં છે. જ્યાં હુમલો થયો છે ત્યાં કોઇ પણ પ્રકારના આતંકનો ભય નથી. મોટરબોટ ઉપર ચાર ભારતીય અને બે અમિરાતના નાગરીક સવાર હતા.
 
 
 

Your Opinion
 
 
Code:
4 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment