સરકારના ભંડારમાં સડી રહેલા અનાજને ગરીબોને વહેંચવાના સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવાની રીત સંદર્ભે દિલ્હીમાં આજે મંત્રી સમૂહ (ઈજીઓએમ) ની બેઠક થવાની છે. આ બેઠકમાં સુપ્રિમ કોર્ટના આદેશને લાગુ કરવાની પદ્ધતિ પર વિચાર થશે.
બુધવારે મુંબઈમાં કાર્યક્રમમાં નાણાંમંત્રી પ્રણવ મુખર્જીએ જાણકારી આપી હતી કે ગુરુવારે સડી રહેલા અનાજને વહેંચવા સંદર્ભેના આદેશ પર દિલ્હીમાં મંત્રી સમૂહની બેઠક થશે.
ખાદ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈજીઓએમની બેઠકમાં 12 ઓગસ્ટે સડી રહેલા અનાજ સંદર્ભે આવેલા સુપ્રિમ કોર્ટના આદેશ પર વિચાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટે પોતાના આદેશમાં કેન્દ્ર સરકારને કહ્યું હતું કે ભારતીય ખાદ્ય નિગમે ભંડારોમાં સડી રહેલા અનાજને ગરીબોમાં મફત વહેંચી દેવામાં આવે.
નાણાંમંત્રી પ્રણવ મુખર્જીની અધ્યક્ષતામાં ઈજીઓએમ અનાજને મફત વહેંચવાના ઉપાય શોધવા માટેનો વિચાર થશે. આ પહેલા સુપ્રિમ કોર્ટે મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે કેન્દ્ર સરકારને અનાજ વહેંચવા સંદર્ભે સલાહ નહીં, પણ સ્પષ્ટ આદેશ આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે આ આદેશને કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે સલાહ બતાવી કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટની દરેક સલાહ માનવી સંભવ નથી.