- ચુકાદો પોતાની તરફેણમાં આવતા ચિદમ્બરમે વ્યક્ત કરી ખુશી
- ચિદમ્બરમે કહ્યું મારી વિરૂદ્ધમાં ચુકાદો આવત તો હું રાજીનામું આપવા તૈયાર હતો
2જી સ્પેક્ટ્રમ કૌભાંડ અંગે વિવાદોમાં ઘેરાયેલા કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમને ટ્રાયલ કોર્ટના ચુકાદાથી મોટી રાહત મળી છે. આ કેસમાં ચિદમ્બરમને સહઆરોપી બનાવવાની જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીની અરજી ફગાવી દેવાઇ. ટ્રાયલ કોર્ટના આ ચુકાદા અંગે ચિદમ્બરમે ખુશી વ્યક્ત કરી છે. એક ચેનલ સાથેની વાતચીતમાં ચિદમ્બરમે કહ્યું કે તેને અપેક્ષા હતી જ કે ચુકાદો તેની તરફેણમાં જ આવશે.
ચિદમ્બરમે એમ પણ કહ્યું હતું કે "જો ચુકાદો મારી વિરૂદ્ધમાં આવત તો હું કેન્દ્રીય ગૃહમંત્રીપદેથી રાજીનામું આપી દેવા તૈયાર હતો."
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.