યોગગુરૂ બાબા રામદેવ તા. ચાર જૂનથી નવીદિલ્હીના રામલીલા મેદાન ખાતે ભ્રષ્ટાચાર મુદ્દે અનશન હાથ ધરનારા છે. ત્યારે કેન્દ્ર સરકાર અગાઉથી જ સાવચેત થઈ ગઈ છે બાબા રામદેવની ભ્રષ્ટાચાર વિરોધી લહેર અણ્ણા હજારેના આંદોલન જેટલી વ્યાપક અને મોટી ન બને તે માટે કેન્દ્ર સરકારને કેટલાક સરકારી અધિકારીઓને બાબા રામદેવને મળવા મોકલ્યા છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, આવકવેરા ખાતાના કેટલાક અધિકારીઓ અને સીબીડીટીના વડા સુધીર ચન્દ્રા ગયા અઠવાડિયે બાબા રામદેવને મળ્યા હતા અને કાળા નાણાને ભારત પરત લાવવા માટે સરકાર કેવા પ્રયાસો કરી રહી છે તે અંગે માહિતી આપી હતી. કાળા નાણાને શોધી કાઢવા માટે સરકાર દ્વારા કેવા પગલા લેવામાં આવી રહ્યાં છે, તેની માહિતી પણ તેમણે યોગગુરૂને આપી હતી. એક અંદાજ પ્રમાણે લગભગ પચાસ હજાર થી એક લાખ લોકો નવીદિલ્હીના રામલીલા મેદાન ખાતે હાજર રહેનારા છે. જ્યારે દેશભરમાં લગભગ એક કરોડ કરતા વધુ લોકોનું સમર્થન બાબાને હાંસલ છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના પ્રધાન કમલનાથ યોગગુરૂના અભિયાનનું સમર્થન કરી ચૂક્યાં છે અને ક હ્યું છે કે, સરકાર વિદેશમાં રહેલા કાળા નાણાને ભારત પરત લાવવા તથા ભ્રષ્ટાચારને નાથવા માટે કટિબદ્ધ છે. જ્યારે કોંગ્રેસના મહા સચિવ દિગ્વિજય સિંહએ કહ્યું હતું કે, જો યોગગુરૂ રામદેવ ઉપવાસ પર ઉતરશે તો તેમના અનશન ખોલાવવા કોઈ આગળ નહીં આવે.
તમારો મત
શું તમને લાગે છે કે, યોગગુરૂ બાબા રામદેવના અનશન અણ્ણા હજારે જેવો જુવાળ ઊભો કરી શકશે ? ભ્રષ્ટાચાર વિરોધી કાયદો બનાવનારી સમિતિમાં બાબા રામદેવને સ્થાન ન મળતા તેઓએ આ આંદોલન ઊભું કર્યું છે, તેવા આરોપો અંગે તમારું શું માનવું છે ? સરકારની નવી આઈટી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈપણ પ્રકારની ધૃણાસ્પદ, અને વિવાદાસ્પદ કોમેન્ટ લખવી પ્રતિબંધીત છે. આવી ટિપ્પણી કરવા માટે તમે ખુદ જવાબદાર રહેશો. જો તમારી ભાષા સામે કોઈને વાંધો હોય અને કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો ખુદ તમે જવાબદાર રહેશો.