Home >> National News >> Latest News >> National >> Cag To Check Utility Of New Routes Announced In No
મમતા દ્વારા જાહેર કરાયેલી ટ્રેનોની તપાસ કરશે કેગ
Agency | Jul 13, 2012, 16:17PM IST

-સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવાનો રસ્તો?
કેગ દ્વારા તાજેતરમાં જાહેર રપવામાં આવેલી ટ્રેનોની અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ટ્રેનો પૂર્વ રેલવે પ્રધાન મમતા બેનરજી દ્વારા શરૂ કરવામાં આવી હતી અથવા તો તૃણમુલ કોંગ્રેસના પ્રતિનિધિ રેલવે પ્રધાન હતાં.
કેગ દ્વારા તપાસ કરવામાં આવશે કે આ ટ્રેનોની ખરેખર જરૂર હતી કે, માત્ર લોકપ્રિયતા હાંસલ કરવા માટે આ જાહેરાતો કરવામાં આવતી હતી. કેગ દ્વારા કેટલાંક સ્ટેશનોની મુલાકાત લેવામાં આવશે. કેગ દ્વારા પૂર્વોત્તર ઝોનની ટીમને જરૂરી તપાસ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.
કેગ દ્વારા મુખ્યત્વે દસેક ટ્રેનો અને તેની લોકપ્રિયતા તથા ઉપયોગીતા અંગે તપાસ હાથ ધરાશે. મોટાંભાગની ટ્રેનોને ખાસ તૈયારી વગર લોન્ચ કરી દેવામાં આવી હતી. રેલવે ટ્રેકની સારસંભાળ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. જેના કારણે નુકશાન થયું છે કે કેમ અને અકસ્માત થયાં હતાં કે, નહીં તે તપાસ કરાશે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રીનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં વાંચી શકો છો. સમાચાર અંગે તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.







