તત્કાલીન વડાપ્રધાન પી.વી.નરસિંહરાવે ૧૯૯૬ની આસપાસ સામાન્ય ચૂંટણીના પરિણામોના બે દિવસ પહેલાં જ એપીજે અબ્દુલ કલામને પરમાણુ પરીક્ષણની તૈયારી માટે કહ્યું હતું.
કલામ તે સમયે સંરક્ષણપ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર હતા. પરંતુ ચૂંટણી પરિણામો પ્રતિકૂળ રહ્યાં અને યોજના પૂરી ના થઇ શકી. પછી મે ૧૯૯૮માં પોકરણમાં બીજું પરમાણુ પરીક્ષણ થયું. તેનું શ્રેય ગયું તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની સરકારને.ડો.કલામે સાતમી આર.એન.વ્યાખ્યાનમાળામાં આ રહસ્ય ખોલ્યું હતું.
વધારે વાંચવા માટે તસ્વીરો બદલાવો..