ત્રણ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ તરફથી અફઝલ ગુરૂની દયાની અરજી નકારવાની લેખિત સુચના ગૃહ મંત્રાલય પાસે આવી ગઇ હતી. બાદમાં ગૃહમંત્રાલય દ્વારા તિહાર જેલને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી અને ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી હતી. આ તમામ બાબતોની જાણકારી જેલ નંબર-3ના અધિકારીઓ સિવાય કોઇને આપવામાં આવી નહોતી.
દયાની અરજી નકાર્યા બાદ ગ્રુહ મંત્રાલય તાત્કાલિક સક્રિય થઇ ગયું હતું. માત્ર પાંચ દિવસમાં જ અફ્ઝલ ગૂરૂને ફાંસીએ ચડાવી ખેલ પાડી દેવામાં આવ્યો હતો. અત્યંત ગુપ્ત રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અફ્ઝલ તિહાર જેલમાં બંધ હતો. આ જેલ દિલ્હેમાં હોવાથી દિલ્હી સરકારને પણ તેની જાણ કરવી જરૂરી હતી.
અફઝલ ગૂરૂની અંતિમ પળોનો અહેવાલ વાંચવા આગળ ક્લિક કરો...