અફઝલ ગુરુને આજે સવારે 8 વાગે તિહાડ જેલમાં ફાંસી આપી દેવામાં આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. વર્ષ 2001માં દેશની સસંદ પર હુમલામાં અફઝલ ગુરુ દોષી ગણવામાં આવ્યો હતો. તિહાડ જેલની અંદર અને બહાર સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે. તિહાડ જેલના તમામ ગેટને બંધ કરી દેવામાં આવ્યા છે.
નોંધનિય છે કે સુપ્રિમ કોર્ટે અફઝલને ફાંસીની સજા સંભાળવી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ પણ અફઝલની દયાની અરજી નામંજૂર કરી દીધી હતી.
પ્રાપ્ય માહિતી અનુસાર અફઝલ ગુરૂને તિહાડ જેલ નંબર ત્રણમાં ફાંસી આપવામાં આવી છે. અત્યાર જેલની અંદર અને બહાર સુરક્ષા સઘન છે. સૂત્રોના અનુસાર ફાંસી માટે તિહાડ જેલ પાસે કોઈ જલ્લાદ ન હતો, માટે જલ્લાદને પણ બહારથી મંગાવવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા જ બધાં કેદીઓને ફાંસી ઘરમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો. અહીં અફઝલને એકલો રાખવામાં આવ્યો હતો.
દેશમાં કોઈપણ સ્થળે કોઈ દુર્ધટના ન ઘટે તે માટે જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. શ્રીનગરમાં અઘોષિત કર્ફ્યુના સમાચાર છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
તસવીરોમાં જોઇએ સંસદ પરના હુમલાની તસવીરો