- તંત્રની નિષ્ફળતા સામે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિપક્ષે ઉધડો લીધો
- સુપ્રીમ કોર્ટનો ચુકાદો આગળ ધરી કૂતરાની સમસ્યામાંથી છટકવા વહીવટી તંત્રનો લૂલો બચાવ
- વીરાંજલિ કાર્યક્રમમાં જ્યાં ૩ લાખ વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં, ત્યાં આજે એક પણ વૃક્ષ નથી
- બગીચાખાતાની કામગીરીની તપાસની માગ
રખડતાં કૂતરાંઓએ શહેરીજનોને બાનમાં લીધા છે અને તંત્ર આ બાબતે સંપૂર્ણ નિષ્ફળ નિવડ્યું છે, તેવો આક્ષેપ વિપક્ષ દ્વારા મ્યુનિસપિલ સ્ટેન્ડિંગ કમિટીમાં કરાયો હતો. બીજી બાજુ શહેરમાં મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા કરાયેલા સરવેમાં ૨.૫૦ લાખ કૂતરાં છે. આ અંગેનો એક અહેવાલ મ્યુનિસપિલ કોર્પોરેશનને સ્વૈચ્છિક સંસ્થાએ આપ્યો હોવાની સ્પષ્ટતા કમિટીની બેઠકમાં કરવામાં આવી છે.