નડિયાદ તાલુકાના મોંઘરોલી ગામે ૭૦થી વધુ પરિવારોએ વીજળીકરણ માટે નાણાં ભર્યા હોવા છતાં તેઓને ચાર વર્ષથી વીજળીનું જોડાણ આપવામાં આવ્યું નથી.
મોંઘરોલીના પ્રજાજનોએ જણાવ્યું હતું કે ‘ગરીબ વિસ્તારમાં રહેતાં પરિવારો માટે વીજળીનું જોડાણ મળે તે માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજના હેઠળ R ૫૦ ભર્યા હતા. ૭૦થી વધુ લાભાર્થીઓ દ્વારા આ યોજનામાં નાણાં ભરવામાં આવ્યાં હતા. ૩૧/૧૨/૨૦૦૭ના રોજ આ નાણાં ચલણ મારફતે બેંકમાં ભર્યા હતા, પરંતુ વીજળીના અભાવે આ વિસ્તારના પરિવારોને અંધારામાં અટવાવવાનો વારો આવ્યો છે. વારંવાર રજુઆતો છતાં કોઈ જ પગલાં ભરાયાં નથી.
તંત્રનું ચલકચલાણું
આ સંદર્ભે નડિયાદ રૂરલ વીજકંપનીના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે ‘મોંઘરોલી ગામ ચકલાસીના ઉમરેઠ ડિવિઝન તાબે આવેલું હતું. હાલમાં આ ગામ ચકલાસી ડિવિઝનમાં સમાવાયું છે, જેથી આગામી દિવસોમાં તપાસ કરીને વીજજોડાણ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.’