DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
ખેડૂતની હત્યામાં મહિલાની અટકાયત
Bhaskar News, Anand
| Apr 27, 2012, 01:05AM IST
આણંદ તાલુકાના વહેરાખાડી સીમમાં એક્સપ્રેસ વે બ્રિજના ઢાળ ઉપરથી પાદરાના ખેડૂતની હત્યામાં ઝડપાયેલા બે ઇસમનાં રિમાન્ડ દરમિયાન ગુનામાં મુખ્ય આરોપી રશપાલસિંહની પત્નીની પણ સંડોવણી હોવાનું ખુલતાં પોલીસે મહિલાની અટકાયત કરી છે.
ખંભોળજ પીએસઆઇ આર.એન.પટેલે જણાવ્યું હતું કે ‘વેરાખાડી વાસદ એક્સપ્રેસ હાઇવેના બ્રિજ પરથી ગળે ટૂંપો આપી હત્યા કરાયેલ પાદરાના ગોરીયાદ ગામના નિરંજન ઉર્ફે લાલાભાઈ મહેન્દ્રભાઈ પટેલ(ઉ.વ.૪૮)ની લાશ મળી હતી. તપાસ દરમિયાન સારસામાં રહેતા પંજાબના રસપાલસિંહ પ્રિતમસિંહ જાટ, ચમકૌર જાટની સંડોવણી ખુલતાં બંને ઇસમની અટકાયત કરવામાં આવી હતી.
જોકે, હત્યાનો ત્રીજો આરોપી જગમીતસિંહ ગુનો આચર્યા બાદ પંજાબ ભાગી ગયો હતો. બંને ઇસમોની હત્યાના ગુનામાં પોલીસે અટકાયત કરી આગામી ૩૦મી એપ્રિલ સુધીનાં રિમાન્ડ મેળવી બંને સઘન ઉલટ તપાસ હાથ ધરી હતી. રિમાન્ડ દરમિયાન કરાયેલી પુછપરછમાં જે વખતે ત્રણેય મિત્રોએ નિરંજનની હત્યા કરી તે સમયે રસપાલસિંહ પ્રિતમસિંહ જાટની પત્ની સિમરજીત પણ ત્યાં હતાં. તેણે પણ હત્યામાં મદદગારી કરી હોવાની હિક્કત ખુલી હતી. જે આધારે ગત ૨૪મી એપ્રિલના રોજ સિમરજીતની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
મિત્રતાને કોરાણે મૂકીને હત્યા કરી નાંખી
હત્યાના ગુનામાં ઝડપાયેલા પંજાબના રશપાલસિંહ અને તેના બે મિત્રો પાંચ વર્ષ અગાઉ પાદરાના બોરિયા ગામે સીમરખ્ખા તરીકે કામ કરતાં હતાં. તે વખતે નિરંજન સાથે તેઓને મિત્રતા થઇ હતી. બોરિયાથી આ ત્રણેય મિત્રો સારસા આવ્યાં હતાં. અવારનવાર તે સારસા ત્યાં રહેતો હતો. આખરે નાણાં માટે સીમરખ્ખાઓએ પાંચ વર્ષની મિત્રતાને કોરાણે મૂકીને હત્યા કરી નાંખી હતી.





