ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડાકોરમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદભાવના મિશન સામે સત્કરમ ઉપવાસ હેઠળ એક દિવસ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મોદી ડાકોરમાં મંગળવારે એક દિવસના સદભાવના ઉપવાસ પર બેઠા હતા. મોદીના ઉપવાસ સમાંતરના કોંગ્રેસના આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરઃ જિજ્ઞેશ પટેલ)