યાત્રાધામ ડાકોરમાં મંગળવારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સદ્દભાવના-૨૦૧૨ ઉપવાસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મંગળવારે સવારે તેઓ હેલીકોપ્ટર દ્વારા ગાંધીનગરથી થામણાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં નવનિર્મિત હેલીપેડ ઉપર ઉતરીને ત્યાંથી સીધા ડાકોરના રાજા રણછોડરાયના આર્શિવાદ મેળવવા પહોંચ્યા હતા. મોદીએ હાથ જોડીને રણછોડરાયજી સમક્ષ શિશ ઝુકાવ્યું હતું. મુખ્યમંત્રીને જોવા માટે ડાકારોના ઠાકોરના ભક્તો પણ વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ડાકોરના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. (તસવીરોઃ જીજ્ઞેશ પટેલ)