ખંભાતના અતિપ્રાચીન ૯૧ જેટલા શિવાલયો આવેલા છે. પ્રાચીન ઋણમુક્તેશ્વર મહાદેવનો સાંસ્કૃતિક પુસ્તકમાં ઉલ્લેખ છે. આ શિવાલય પુરાતત્વ વિભાગના પ્રાચીન મંદિરોની યાદીમાં સમાવિષ્ટ છે. ભારતના નાનામાં નાના શિવલિંગ તરીકે ઋણમુક્તેશ્વરની ગણના થાય છે.
આ શિવલિંગ ઉપર દૂધ અને ફૂલ ચડાવવાથી શ્રદ્ધાળુ ઋણમાંથી મુક્ત બને છે. તેવી લોકવાયકા હોઈ અહીં હજારો ભાવિકભક્તોની ભીડ ઉમટે છે. ભાવિકભક્ત શૈલેષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસના અંતિમ સોમવારે પુષ્યનક્ષત્ર, તેરસ, નવરાત્રિનો સુભગ સમન્વય થતો હોઈ આ સ્વયંભૂ શિવલિંગને ધાન્ય તથા અવનવા ફૂલોથી સજાવવામાં આવ્યું છે.
જ્યારે સ્વયંભૂ ભાવનાથ મહાદેવ અને પશુપતિનાથ મહાદેવ પ૦૦ વર્ષ જુનું છે. પશુપતિનાથ મહાદેવમાં જેમાં જાગનાથ મહાદેવ, ભાવનાથ મહાદેવ, રત્નાવાર મહાદેવના લિંગ આવેલા છે.