Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar >> Solution On Lokayukta May Come Today

લોકાયુક્તના મામલે આજે સંભવત: ઉકેલ આવી જવાની આશા

Bhaskar News, Gandhinagar | Jan 07, 2013, 00:06AM IST
 
 


છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં લોકાયુક્તના મામલે ઊભી થયેલી અનિર્ણિત સ્થિતિનું આવતીકાલે તા.૭મીના રોજ નિરાકરણ આવી જવાની સરકાર પક્ષે આશા સેવવામાં આવી રહી છે. બાકીની તમામ કાનૂની પ્રક્રિયા સરકાર પક્ષે પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ગુજરાતમાં લોકાયુક્ત પદે નિવૃત્ત ન્યાયમૂર્તિ‌ એસ.એમ. સોની નિવૃત્ત થયા બાદ ખાલી પડેલી જગ્યા ભરવા માટે છેલ્લા કેટલાય વર્ષોથી વિવાદ ચાલતો હતો. દરમિયાનમાં કોંગ્રેસ તથા મહાગુજરાત પાર્ટી તરફથી થયેલી માંગણીના પગલે ગુજરાતના રાજ્યપાલ કમલાજીએ લોકાયુક્ત તરીકે નિવૃત્ત ન્યાયમૂર્તિ‌ આર.એ. મહેતાની નિમણુક કરી હતી.

પરંતુ ગુજરાત સરકારે આ મામલે હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. જો કે તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપી દીધો છે. ત્યાં લોકાયુક્ત પદનો ચાર્જ સંભાળવાના મામલે નિવૃત્ત ન્યાયમૂર્તિ‌ આર.એ. મહેતાએ હજુ સુધી કોઇ પ્રતિભાવ આપ્યો નહીં હોવાથી મામલો ગૂંચવાયો છે.

 

Your Opinion
 
 
Code:
1 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment