ગુજરાતના ના કેસોને રાજ્યની બહાર ખસેડવા અંગે અમદાવાદમાં બોલતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ ઘટનાને કેન્દ્ર સરકારના કાવતરાનો કરાર આપતા કહ્યું હતું કે જે રીતે એકપછી એક કેસ ગુજરાતની બહાર ખસેડવામાં આવી રહ્યા છે તે ગુજરાતની ન્યાયપાલિકાનું અપમાન છે.
તેમણે કહ્યું હતું કે અમદાવાદમાં પહેલા બાળક જન્મતું ત્યારે તે મમ્મી-પપ્પા પછી બોલતા શિખતું અને પહેલા કર્ફ્યુ શબ્દ બોલતા શીખતું. આ શહેરમાં આજની જનરેશનને કર્ફ્યુ શબ્દ ખબર નથી. અને રાજ્યમાં પ્રવર્તતી શાંતી, પ્રગતિ, વિકાસમાં રાજ્યની પોલીસ અને ન્યાયતંત્રને પણ આભારી છે.
જો ગુજરાતમાંથી કેસો આ રીતેજ બહાર લઈ જવા હોય તો શું ગુજરાતની અદાલતો ને તાળાં મારી દેવા? ગુજરાતની લો કોલેજ, લો યુનિવર્સિટીને બંધ કરી દેવી? આ વ્યવસાય સાથે સંકળાયેલા વકિલોને બેકાર બનાવી દેવા?
તેમણે કહ્યું હતું કે હું મારી પર ગમે તેવા આક્ષેપો થાય તેનો સામનો કરીશ, અપમાનો પણ સહન કરીશ પરંતુ જો ગુજરાતની અદાલતો, ન્યાયાધિશોનું અપમાન ક્યારેય સાંખી નહીં લઉં.