Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> No Minister Gujarat Story

અમારી તાકાત જોઈ ભાજપ-કોંગ્રેસ ભયભીત છે!

Bhaskar News, Ahmedabad | Sep 24, 2012, 00:05AM IST
 
 

ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકવા માટે કેશુબાપાએ એડી ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે બાપા ભાજપને નુકસાન કરશે કે કોંગ્રેસને એ અંગે પણ અટકળો શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અને પરિવર્તન પાર્ટી ગુજરાતમાં મોદીને પછાડવા ‘પરિવર્તન’ માટે મેદાને પડ્યા છે પરંતુ પરિવર્તન પાર્ટીના કેટલાક કોંગ્રેસ વિરોધી નિવેદનો જોતાં લોકો અસમંજસની સ્થિતિ અનુભવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ જાહેરમાં નહીં પરંતુ ખાનગીમાં પરિવર્તન પાર્ટી સાથે કોઈ સમજુતિ નહીં કરીએ તેવું કહે છે. કોંગ્રેસના આ વલણ અંગે પરિવર્તન પાર્ટીના મહામંત્રી ગોરધનભાઈ ઝડફિયા કહે છે કે, અમારી તાકાત જોઈને ભાજપ-કોંગ્રેસ બંને ભયભીત થઈ ગયા છે !

યાત્રા વિવેકાનંદના નામે, વાત ચૂંટણીલક્ષી :

મોદીના નેતૃત્વમાં નીકળેલી વિવેકાનંદ યુવાવિકાસ યાત્રામાં સરકારી તંત્રની સાથે સફિતપૂર્વક ભાજપને સાથે રખાયો છે. આ રીતે સરકારી નાણા અને તંત્રના ભરપૂર સહયોગથી મોદીએ જાણે ચૂંટણી પ્રચારની શરુઆત કરી દીધી છે. જેવી યાત્રા આગળ વધી કે તેની સાથે સાચી વાત સામે આવી છે. આ યાત્રામાં દરેક સ્થળે ચૂંટણીલક્ષી વકતવ્યો કરાય છે. વિવેકાનંદનો સંદેશ તો ક્યાંય દેખાતો પણ નથી.

અછતનો મુદ્દો હવે ગૌણ બની ગયો છે !

રાજ્યમાં ગત મહિના સુધી અછતનો મુદ્દો ગાજતો રહ્યો. એ સાથે પશુ માટે ઘાસચારો, પીવાના પાણીની અછત, વર્ષો જુનો નર્મદાનો મુદ્દો સજીને તૈયાર થઈ ગયો હતો. ચૂંટણીમાં આ મુદ્દાઓ ગાજશે તેમ મનાતું હતું પરંતુ મહિનામાં તો એક પછી એક નવા એટલા મુદ્દા ઉમેરાયા કે અછતનો મુદ્દો ભુલાઈ ગયો છે. પાછોતરો વરસાદ ભલે પડ્યો પરંતુ ગુજરાતમાં ઉત્પાદનની સ્થિતિ સારી તો નથી. છતાં પણ રાજકીય પક્ષો માટે અછતનો મુદ્દો હવે ગૌણ બની ગયો છે.
 
 
 

Your Opinion
 
 
Code:
9 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment