કૃષ્ણ તારા હજાર રૂપ, દરેક રૂપ મનમોહક: ગુજરાતમાં કૃષ્ણ જન્મોત્સવની અનોખી અને ભક્તિભાવપૂર્ણ ઉજવણી થાય છે. જન્માષ્ટમી નિમિત્તે ગુજરાતના વિવિધ શહેરોના તમામ મહત્વના ચોક અને રાજમાર્ગો ગોકુળિયા બન્યા છે. ક્યાંક કાલી નાગનું દમન કરતાં કૃષ્ણના દર્શન થાય છે. તો ક્યાંક મધુર અધરો પર બંસી ધરી અને મુરલીના નાદ રેલાવતાં સોહામણાં કૃષ્ણ નજરે પડે છે.
જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દ્વારકા સ્થિત જગત મંદિર અને ભગવાન દ્વારકાધીશને શણગારવામાં આવ્યાં છે. રાજ્યભરમાં ગુરુવારે ભક્તિભાવભર્યા વાતાવરણમાં જન્માષ્ટમીનું પર્વ ઊજવાશે.