જી-ઓટો સાથે અત્યારે 10 હજાર રિક્ષા ચાલકો સંકળાયેલા છે
આ વાત બિહારથી અમદાવાદ આવેલા એક એવા વીદ્યાર્થીની છે, જેણે 10 રૂપિયા બચાવવા માટે 10 હજાર અમદાવાદીઓના જીવનમાં સકારાત્મક પરીવર્તન કરી નાખ્યું. આઇઆઇએમ અમદાવાદથી એમબીએ કરનાર આ વીદ્યાર્થી અમદાવાદના હજારો રિક્ષા ડ્રાઇવરોના જીવનમાં પ્રગતિની નવી ઉમંગ લઇને આવ્યો હતો. નાનું કદ પણ ઊંચું મનોબળ ધરાવતા આ યુવાન નિર્મલ કુમારમાં કઇંક તો એવી વાત છે, જેના કારણે ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે એની પડખે ઊભા છે. આઇઆઇએમ અમદવાદથી બિઝનેસના ગુણ શીખી હજારો ઓટો રિક્ષા ડ્રાઇવરોના જીવનમાં ઉજાસ પાથરનાર નિર્મલે આ શહેરનું ઋણ ચુકવ્યું છે.
વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો સ્ક્રોલ કરો.