શહેરના ચકચારી અને બિલ્ડર્સ લોબીમાં ડરનો માહોલ ઉભો કરવા માટે નવરંગપુરા ખાતેની પોપ્યુલર બિલ્ડર્સ વાળા રમણ પટેલ તથા દશરથ પટેલની ઓફિસ પર કરવામાં આવેલા ફાયરિંગ પ્રકરણના આરોપી સિલ્વેસ્ટર ડેનીયલના ડીસ્ચાર્જ માટે આજે સેસન્શ કોર્ટમાં અરજી કરવામાં અવી હતી.
ચકચારી પોપ્પુલર બિલ્ડર્સ ફાયરિંગ પ્રકરણમાં આજે સિલ્વેસ્ટર ડેનીયલના ડિસચાર્જ માટે તેના વકીલ હાસીમ કુરેશી દ્વારા કોર્ટ સમક્ષ અરજી કરાઇ હતી.
આ મુદ્દે વકીલ હાસીમ કુરેશી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે એક તરફ ખુદ સીબીઆઇ પોતાના રિપોર્ટમાં જણાવે છે કે આ પોપ્યુલર બિલ્ડર્સ પર ફાયરિંગનો કેસ તદ્દન ખોટો કેસ ખોટો છે . આ સમગ્ર નાટક એ તો સાોહરાબુદ્દીના એન્કાઉન્ટર માટેનું પ્રપિ્લાનિંગ હતું .
આ પ્રકરણથી સોહરાબુદ્દીન વિરુદ્દ પુરાવા એકત્રીત કરવાના હતા.માટે જો ખુદ સીબીઆઇ આ કેસને ખોટો કહેતી હોય તો ખોટા કેસમાં કોઇ આરોપી હોય નહિ માટે આ તમામને મુકત કરવા જોઇએ માટે સિલ્વેસ્ટર ડેનીયલને મુકત કરવા માટે કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી છે.