સીબીઆઇ દ્વારા પકડાયેલા અને હાલમાં જેલમાં રખાયેલા ક્રાઇમ બ્રાંચના સસ્પેન્ડેડ ડીસીપી અભય ચુડાસમાના કનેકસન દુબઇ સુધી હોવાના ઉચ્ચારણો અમીન-ચૌહાણની રેકોર્ડેડ ટેપમાં ચૌહાણે કર્યા છે.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને કૌશરબી હત્યા પ્રકરણમાં ડો. નરેન્દ્ અમીન અને એન. વી. ચૌહાણની વાતોની રેકોર્ડેડ ટેપે ભારે ઉત્તેજના જગાવી છે. આ ટેપમાં કૌશરબીને મારવાની સુચના અમીત શાહની હોવા ઉપરાંત પણ ઘણા ચોંકાવનારા અને ઘટસ્ફોટ નિવેદનો ચૌહાણ દ્વારા કરવામાં આવ્યા છે.
સાબરમતી જેલની એકજ બેરેકમાં રખાયેલા નરેન્દ્ર અમીન અને એન.વી.ચૌહાણની વાતચીત કે જે અમીને ટેપ કરી લીધી હતી.જેમાં ચૌહાણ દ્વારા એવું નિવેદન કરવામાં પણ આવ્યું છે.અભય ચુડાસમાના સંપર્કો મુંબઇ અને છેક દુબઇ સુધી હતા. તથા તે પંદર મોબાઇલ નંબરો રાખતા હતા.
ચૌહાણ દ્વારા કરાયેલા આ નિવેદનો એ વાતની સાબિતી આપી દે છે કે અભય ચુડાસમાના દુબઇમાં પણ સંપર્કો હતા અને તેને ત્યાંથી પણ પૈસા મળતા હતા.હવે જોવાનું એ રહ્યું કે સીબીઆઇની વધુ તપાસમાં અભય ચુડાસમાના દુબઇના સંપર્કો બહાર આવે છે. કે કેમ?