શહેરની શોભામાં ચારચાંદ લગાવતી સાબરમતી નદી છેલ્લા કેટલાય સમયથી સ્યુસાઇડ પોઇન્ટ બની ગઇ છે. શનિવાર બપોરે પણ એક યુવતીએ જમાલપુર બ્રીજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી, જો કે ફાયરબ્રીગેડના ંજવાનોની સમય સુચકતાને પગલે તેને બચાવી લઇ વા.સા હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ફાયરબ્રીગેડનાં સુત્રો પાસેથી પ્રાપ્તવિગત અનુસાર, શનિવાર બપોરે ૨.૧૦ વાગ્યાનાં અરસામાં જમાલપુર ખાતેનાં બ્રીજ પરથી એક ૨૫ વર્ષનાં આશરાની યુવતીએ નદીમાં પડતુ મુકર્યું હતુ. જો કે આ ઘટના જોતાજ રાહદારીઓએ તાત્કાલીક ફાયરબ્રીગેડને જાણ કરી હતી. ફાયરબ્રીગેડનાં જવાનો પણ સમયસર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવતીને પાણીમાંથી શોધી બચાવી લીધી હતી અને સારવાર અર્થે તાત્કાલીક વી.એસ હોસ્પિટલ ખસેડી છે. જો કે યુવતી કોણ છે? અને તેણે ક્યા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હતો તે અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.