મણિનગરના જ્વેલર્સના શો રુમમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠીયો દુકાન માલિકની નજર ચુકવી રૂ.૧.૯૪ લાખના સોનાના દાગીના સેરવીને લઇ ગયો હતો.
પ્રાપ્તમાહિતી અનુસાર,મણિનગર ઉત્તમનગર બગીચા પાસે આવેલા વિધાતા એપાર્ટમેન્ટ ખાતે રહેતા રોનક ભાઇ દિલીપભાઇ સોની મણિનગર ચાર રસ્તા ઉપર કેતન જવેલર્સ નામનો શો રુમ ધરાવે છે.તેમની દુકાનમાં ૩૮ થી ૪૦ વર્ષનો એક પુરુષ ગ્રાહકના સ્વાંગમાં દાગીના જોવા આવ્યો હતો.
જેથી રોનકભાઇ તેને દાગીના બતાવી રહ્યા હતા તે સમયે આ ગઠીયાએ રોનકભાઇની નજર ચુકવીને રૂ.૧.૯૪ લાખની કિંમતના સોનાના દાગીના સેરવી લઇ રફુચક્કર થઇ ગયો હતો. ગઠીયો દાગીના લઇને ફરાર થઇ ગયા બાદ ઘટનાની જાણ થતા રોનકભાઇએ આ અંગે અમરાઇવાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરુ કરી છે.