સ્વાઇન ફ્લૂનો ભરડો દિવસે-દિવસે પૂનાને ઘેરી રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન અહીં ત્રણ લોકોના આ તાવથી મોત થયા છે. જેના કારણે શહેરમાં સ્વાઇન ફલૂથી મરનારા લોકોની સંખ્યા 264 પર પહોંચી ગઇ છે.
એપ્રિલ મહિનામાં સ્વાઇન ફલૂએ પૂનામાં ફરીથી દેખા દીધી ત્યારથી અત્યારસુધીમાં કુલ ત્રેપન લોકોના મોત એચ1એન1 થી મોત થયા છે. ગતવર્ષે પણ પૂનામાં જ સ્વાઇન ફલૂથી મરનારનો પ્રથમ કિસ્સો નોંધાયો હતો.
દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ ખાનગી ડૉક્ટરો અને શાળાના સંચાલકો સાથે બેઠકો કરી રહ્યા છે અને તેમને આ રોગ અંગે સતર્ક કરી રહ્યાં છે.આ અંગે સરકાર સતર્ક કરવાનું અભિયાન પણ ચલાવનાર છે.