શિવાજી પાર્કના મેદાનમાં થતી દરેક સભા પોતાના નિવાસ સ્થાન ‘કૃષ્ણ કુંજ નિવાસ સ્થાનની અગાસી પરથી જોનારા મનસેના પ્રમુખ રાજ ઠાકરેને મહાપાલિકાની ચૂંટણી મનને ગમે તેવું સ્થળ ન મળતા ‘કૃષ્ણ કુંજની અગાસી પરથી મનસેના સૈનિકોને સંબોધવાની તૈયારી કરી લીધી હોવાનું કહેવાય છે.
શિવાજી પાર્ક મેદાન પર સભા યોજવા માટે સુપ્રીમ કોર્ટની પરવાનગી ન મળવાને પગલે હવે પક્ષના પ્રચારમાયેની સભા ક્યાં લેવી તે પ્રશ્નનો ઉત્તર શોધવામાં રાજ ઠાકરે વ્યસ્ત છે અને પરેશાન પણ છે. શિવસેના ભવન સામેના રસ્તા ઉપર સભા લેવાની શક્યાતાઓ તેમણે ચકાસી જોઈ હતી, પણ પોલીસે કાયદો અને સલામતીનું કારણ આગળ ધરી આ વિકલ્પ નકારી કાઢ્યો હતો. જો કે તો પણ રાજ ઠાકરે એ રસ્તા ઉપર ઉતરશે તો પોલીસે તેમની ધરપકડ કરવાની તૈયારી પણ રાખી હોવાનું કહેવાય છે.
એક સમયે પક્ષની સભામાં શિવાજી પાર્કનું મેદાન પર ભારે ગીરદી એકઠી કરનારા રાજ ઠાકરેને પક્ષના પ્રચાર માટે એકઠી થનારી ગીરદી સમાવે શકે એવું શિવાજી પાર્ક જેવું બીજું એક પણ મેદાન ગળે ઉતરતું નથી, એમ મનસેના પદાધિકારીઓનું કહેવું છે.
આ સંજોગોમાં કોઇ ઉપાય ખોળી કાઢવામાં રાજ ઠાકરે તેમના ઘરની અગાસી ઉપરથી સભાને સંબોધિત કરે એવી સંભાવના જોવાય છે. ઘર પરથી ભાષણ કરવા પર પોલીસ પ્રતિબંધ મુકી શકે એમ નથી અને તેમના ઘરની સામે એકત્ર થયેલા લોકોને પોલીસ દૂર કરી શકે એમ નથી.