Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Maharashtra >> Latest News >> Mumbai
 

‘કોટન ચા રાજા’ ગણેશોત્સવ ૭૨મા વર્ષની ઉજવણી કરશે

 
Source: Bhaskar News, Mumbai   |   Last Updated 1:40 AM [IST](02/09/2010)
 
 
 
 
 
૧૯૩૯માં રૂ બજારના આગેવાન વેપારીઓના પ્રેરકબળ હેઠળ બજારના વેપારીઓ, કર્મચારીઓ અને માથાડીઓના સહકારથી શરૂ કરાયેલો ‘‘કોટન ચા રાજા’’ તરીકે શહેરમાં વિખ્યાત ગણેશોત્સવ આ વર્ષે પણ ધામધૂમથી કોટન એક્સચેન્જ સંકુલ કોટનગ્રીન ખાતે ઊજવવામાં આવશે.

કોટન ડેપો શ્રી ગણેશોત્સવ ટ્રસ્ટની આગેવાની હેઠળ કોટન ચા રાજા આ વર્ષે ૭૨મા વર્ષની ઉજવણી કરશે. ૧૧ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર સુધી હર્ષોલ્લાસથી ઊજવાનારા ગણેશોત્સવમાં દરરોજ પારંપારિક ઢબે પૂજા, ભજન, કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. પૂજા રોજ સવારે ૯.૧૫ વાગ્યે, ૧૧. ૦૦ કલાકે અને સાંજે ૬.૩૦ કલાકે થશે.

ટ્રસ્ટ દ્વારા ૧૫ સપ્ટેમ્બરને બુધવારે ૧૧.૩૦થી ૧.૦૦ સુધી સત્યનારાયણની પૂજા અને બપોરે ૨થી ૩ દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, એમ કોટન શ્રી ગણેશોત્સવના ટ્રસ્ટી શ્યામ સુંદર માખરિયા અને ચંદુલાલ ડી. ઠક્કરે સંયુક્ત રીતે કરી છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.