ભાવનગરના સોનાણી સંજયભાઇ જગજીવનભાઈએ બી.ઇ. (સિવિલ) સુધી અભ્યાસ કરી એન્જિનિયર્સ એસોસિએશનમાં પ્રમુખપદે ત્રણ વર્ષ સુધી માનદ સેવા આપી વાઘાવાડી રોડ ઉપર બાંધકામ શરૂ કરી રોડ ડેવલપ કરી જિલ્લાના વિકાસમાં નવું વધુ એક સોપાન સર કરેલ છે.
નામ: સોનાણી સંજયભાઇ જગજીવનભાઈ.
અભ્યાસ: બી.ઇ.(સિવિલ).
સિદ્ધિઓ: એન્જિનિયર્સ એસોસિએશનના પ્રમુખશ્રી તરીકે ત્રણ વર્ષ સુધી સેવા.
સંઘર્ષ: શરૂઆતનાં દસ વર્ષ સુધી સખત સંઘર્ષ.
દુ:ખદ ક્ષણ: પૂ. પિતાશ્રીનું નાની ઉંમરે નિધન.
શોખ: સંગીત.
પ્રેરણારૂપ : ‘સિદ્ધિ વિનાયક’.
જિલ્લાની સમસ્યા : યોગ્ય માહિતીનો અભાવ, નબળી નેતાગીરી, સારા માણસોનાં સંગઠનનો અભાવ.
ભાવનગરની વિશેષતા : કલા, શાંતિપ્રિય માણસો, સહનશક્તિ.
આઈડલ: તાતા બિરલા જૂથ.
જીવનની ફિલોસોફી : હાર્ડવર્ક કરીને પુરુષાર્થ દ્વારા આગળ આવવું.
જીવનમંત્ર : ‘Work is Worship’
કયુ સ્વપ્ન હજૂ અપૂર્ણ છે :‘ World Tour’
જિંદગીનો આનંદ કેવી રીતે માણો છો: સંગીત સાંભળી તથા કામમાં સમય ફાળવી કામમાં વ્યસ્ત રહીને.
ભાવનગરના ભાવિ અંગે તમારી પરિકલ્પના: દરિયાઇ ક્ષેત્રે ડેવલપમેન્ટ કરીને શહેરને ડેવલપ કરવું.
વ્યક્તિગત યાદગીરીનું માધ્યમ: એન્જિનિયર તરીકે લોકો યાદ કરે તો ગમશે.
જિલ્લાના સવાઁગી વિકાસ માટે: સારી નેતાગીરી, મજૂબત સારા તથા વિચારશીલ માણસોનું સંગઠન તથા સારા નેતાની જરૂરિયાત.