છોટે મુરારીના ઉપનામથી વિખ્યાત બનેલા રામકૃષ્ણ શાસ્ત્રીજીના પિતા આણંદજીભાઈ પ્રખર કર્મકાંડી અને સાહિત્યકાર બ્રાહ્નણ હતાં.
અભ્યાસ : મેટ્રીક સુધીનું, પણ ગણતર ઉંચુ તેથી સનાતન ધર્મના પ્રચાર-પ્રસારનો દપિ પ્રજવલીત થયો. જેના કથારૂપી ઓજસ દેશના સિમાડા ઓળંગી પરદેશમાં પણ પથરાયા.
કારકિર્દીની શરૂઆત : ભજનનો હરતો ફરતો ચોરો અને આધ્યાત્મિકતાની વ્યાસપીઠ બનેલા રામકૃષ્ણના પરમમિત્ર મનસુખગીરીનું અકાળે અવસાન થતા મિત્રાત્માના શ્રેયાર્થો પાલીતાણાના લાપળીયા ગામે પ્રથમ રામકથા કરી.
ઉપલબ્ધિ : હનુમાનજીના સ્મરણ સાથે મા સરસ્વતીની આરાધના સમાન દરેક કથામાં શાસ્ત્રીજીની વાણીની મધુરતા પ્રસરતી ગઇ, ભારતના મોટાભાગના પ્રદેશો ઉપરાંત વિશ્વના મોટા દેશોમાં ધર્મના પ્રચાર-પ્રસાર અર્થો આજ સુધીમાં ૬૦૦ કરતા પણ વધુ કથાઓ કરી ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર એવા ચીખલી તાલુકાના આછવાણી, તોરણવેરા અને અજમલગઢમાં તેમણે આશ્રમો બંધાવ્યા છે.
જીવન મંત્ર : દુનિયાને અનુરૂપ બની જીવવું.
જીવનશૈલી : સાદુ-સીધુ-સરળ-સહજ જીવન અને સંગીત સાંભળવાનો શોખ.