ભારતીય દર્શનશાસ્ત્ર
Karkirdi, Pankaj Aundhiya
| Apr 27, 2012, 02:31AM IST

- ષડ્દર્શન અને ષડ્ઋતુઓ - કુલ છ પ્રકારની.
- ભારતીય ઋષિઓ પરમવિદ્વાન, પરમજ્ઞાતા, દ્રષ્ટા હતા. તેમના જ્ઞાનના પ્રસાદને, બોધને તેઓએ તત્વજ્ઞાન તરીકે ન વર્ણવતા પણ દર્શન (દ્રષ્ટાભાવ) તરીકે ઓળખાવી તે પામનાર / અનુભવનારને દ્રષ્ટા (Vitioary - Seeing is believing) તરીકે ઓળખાવ્યા.
ભારતીય દર્શનો અને તેના મૂળભૂત ર્દષ્ટા (રચિયતા) નીચે મુજબ છે:
- ન્યાય: ગૌતમ ઋષિ
- વૈશેષિક: કાદ ઋષિ
- સાંખ્ય: કપિલ મુનિ
- યોગ: પતંજલિ મુનિ
- પૂર્વમીમાંસા: જૈમિની ઋષિ
- ઉત્તર મીમાંસા: આદિ શંકરાચાર્ય
ભારતીય ઋતુશાસ્ત્ર અનુસાર કુલ છ ઋતુઓ અસ્તિત્વ ધરાવે છે:
વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર.
ઋતુ, અયન અને ગોલ એટલે કેટલો કાળ?
સૂર્યના છ-છ રાશિના ભ્રમણકાળને જેમ ‘અયન’ તથા ‘ગોલ’ના નામે ઓળખવામાં આવે છે, તે જ રીતે બે - બે રાશિના ભ્રમણકાળને ‘ઋતુ’ તરીકે ઓળખવામાં આવે છે.
ભારતીય વેદાંગો: ભારતીય વૈદિક સાહિત્ય-સંસ્કૃતિના વગીgકરણમાં વેદ, ઉપનિષદ, પુરાણ, વેદાંગ, ઉપવેદ એવા અનેક વિભાગો પડે છે જેમાં વેદાંગની સંખ્યા ‘છ’ છે, જે નીચે મુજબ છે.
- શિક્ષા: ભાષાશાસ્ત્ર, ઉચ્ચારણશાસ્ત્ર
- છંદશાસ્ત્ર: વિવિધ પ્રકારના છંદોનો અભ્યાસ અંગેનું શાસ્ત્ર
- વ્યાકરણ: જેને સૂત્રોની અંદર વર્ણવ્યું - પાણિની કૃત.
- નિરુકત: વ્યુત્પત્તિશાસ્ત્ર - જેમાં શબ્દો અને તેના ઉદ્ગમનો ઈતિહાસ સમાયેલો હોય છે.
- જ્યોતિષ: વૈદિક વિધિ-વિધાનો અને યજ્ઞો માટેના દિવસો અને ચોઘડિયાં સુનિશ્વિત કરવા માટેનું શાસ્ત્ર, જેમાં ગ્રહોનો અભ્યાસ પણ સામેલ છે.
- કલા: જેને કલ્પસૂત્ર કે સ્તક્ષેત્ર સૂત્ર પણ કહે છે. જેમાં યજ્ઞો અને આહુતિઓ આપવાના વૈદિક નિયમોનું અમલીકરણ સામેલ છે. એટલે કે વેદાંગ એ વેદોનાં જ છ અંગો છે, જેના વિના વેદોનો અભ્યાસ અને વેદોની સમજૂતી અપૂર્ણ ગણાય છે.
ભગવાનનો અર્થ:
- ભારતીય ધાર્મિક - સાંસ્કૃતિક પરંપરામાં સૌથી વિશેષ પ્રચલિત શબ્દ છે ભગવાન. જેમાં ભગ એટલે સંપત્તિ અને આવી કુલ છ સંપત્તિ આપણે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય - આ છ સંપત્તિનો માલિક એટલે ‘ભગવાન.’
હઠયોગ / નાડી શોધન અને યૌગિક ક્રિયાઓ
ષટ્કર્મ એટલે શું?: હઠયોગ અનુસાર મનુષ્ય સ્થૂળ, સૂક્ષ્મ અને શરીરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે શરીરમાં ઊર્જાનું વહન કરતી આપણી સૂક્ષ્મ નાડીઓનું શુદ્ધીકરણ અત્યંત આવશ્યક છે. આ નાડી - શુદ્ધીકરણ / નાડી શોધનના બે પ્રકારો / રીતો / રસ્તાઓ છે.
@ નિરમાનુ: શારીરિક રીતે. @ સમાન: માનસિક રીતે આ બંને પૈકી નિરમાનુની છે યૌગિક ક્રિયાઓ પ્રચલિત છે. જેનો સામાન્ય રીતે યોગસાધકો અભ્યાસ કરે છે. કુલ છ ક્રિયા, જે નીચે મુજબ છે. જેને ષટ્કર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે: કપાલભાતિ, નેતિ, ધોતી, નૌલી ત્રાટક, ભસ્ત્રિકા.
‘તિરૂમિન્તરામ’ નામનો એક ગ્રંથ છ પ્રકારના અંતની છણાવટ કરે છે. જે આ મુજબ છે: @ કાલાન્ત @ યોગાન્ત @ નાદાન્ત @ ભોગાન્ત @ સિદ્ધાંત @ વેદાન્ત. ‘વારાહિ તંત્ર’ નામનો તંત્ર સાધના વિદ્યા પરનો એક ગ્રંથ આ વિધાને @ આગમ @ યમલા અને @ તંત્ર એવા ત્રણ રસ્તાઓમાં વહે છે. આગમના કુલ છ વિષયો છે, જે આગમશાસ્ત્રમાં વર્ણન કરાયેલ છે. આમ, ભારતીય દર્શનશાસ્ત્ર અને સંસ્કૃતિ ગાઢ અને વૈવિધ્યપૂર્ણ રહસ્યો ધરાવે છે.
સ્પાર્ક પ્લગ : અસત્યના નગારા સામે ઝઝૂમે સત્યની શરણાઇ!હર એક હરશ્વિંદ્ર અહીં વેંઢારે કઠણાઇ!
(લેખક નાયબ કલેક્ટર છે.)
pankaj.3008@yahoo.com
કારકિર્દી, પંકજ ઔંધિયા






