Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

વ્યંધ્યત્વ હવે સમસ્યા નથી

 
Source: Kam Sahita, Dr Paras Shah   |   Last Updated 1:01 AM [IST](05/02/2012)
 
 
 
 
 
હું વંધ્યત્વનો ભોગ બની છું કે ગભૉધાનમાં મને વધુ સમય લાગે છે તે કેવી રીતે જાણી શકાય?

દંપતી દ્વારા વારંવાર પ્રયત્નો કરવા છતાં ગર્ભધારણ કરવામાં મળતી નિષ્ફળતાને વંધ્યત્વ કહે છે. જો કોઈ દંપતી એક વર્ષના અસુરક્ષિત સમાગમ બાદ પણ ગભૉધાન કરવામાં નિષ્ફળ રહે તો આ દંપતીએ પોતાનું તબીબી પરીક્ષણ કરાવવું જોઈએ. જો એક પણ વખત સ્ત્રી ગર્ભધારણ ન કરી શકી હોય તો તેને વંધ્યત્વના પ્રાથમિક તબક્કા તરીકે ગણી શકાય. જ્યારે જો એકાદ બાળક થયા પછી જો દર્દી ફરીવાર સતત ગર્ભધારણ કરવામાં નિષ્ફળ નીવડે તો તેને વંધ્યત્વના દ્વિતીય તબક્કા તરીકે ઓળખી શકાય.

હવેની તણાવપૂર્ણ જીવનશૈલી તથા મોડાં લગ્નોને કારણે વંધ્યત્વના કિસ્સાઓમાં ભારે વધારો નોંધાયો છે. વંધ્યત્વ અંગેના નિદાનની શરૂઆત પતિ-પત્નીની પૂછપરછ દ્વારા શરૂ થાય છે. આ પૂછપરછમાં તમને તમારો તબીબી ઈતિહાસ, કોઈ ગંભીર બીમારી, સારવાર દરમિયાન તમે લીધેલી દવાઓ કે ઓપરેશન અંગે ડોક્ટર તમને ઊંડાણમાં લઈ જશે. આ ઉપરાંત તમારે તમારો ગાયનેકોલોજિકલ ઈતિહાસ પણ કહેવો પડશે.

જેમાં જો તમે ક્યારેય ગર્ભધારણ કર્યો હોય તો તેની વિગતો, ગત વર્ષના માસિકનું ચક્ર, માસિકના ચક્રમાં અનિયમિતતા, સ્રાવમાં ફેરફાર, તમારા છેલ્લા માસિકના સમયમાં ફેરફાર કેટલા સમય રહ્યો અને શું લોહીના મોટા ગઠ્ઠા જોવા મળ્યા હતા કે નહીં. આ ઉપરાંત તમારી જાતીય ટેવો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જેમાં તમે કેટલી વખત સમાગમ માણો છો, તમારા સાથીને કોઈ જાતીય બીમારી છે કે કેમ, જાતીય ચેપી રોગનો ઈતિહાસ તથા અન્ય કોઈ સાથેના જાતીય સંબંધોનો ઈતિહાસનો સમાવેશ થાય છે.

એક વખત તમારી પૂછપરછ પૂર્ણ થઈ જાય પછી તમારા શારીરિક પરીક્ષણનો પ્રારંભ લોહીના પરીક્ષણથી થશે. જેની મદદથી તમારા ફીમેલ અંત:સ્રાવો, થાઈરોડ અંત:સ્રાવો, પ્રોલેિકટન તથા મેલ અંત:સ્રાવોની તપાસ કરાશે. પુરુષોની તપાસમાં તેમના વીર્યની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. વંધ્યત્વના ૨૫ ટકા જેટલા કિસ્સાઓ શુક્રાણુઓની સમસ્યાને કારણે સર્જાતા હોય છે. જ્યારે અન્ય ૪૦-૫૦ ટકા કિસ્સાઓમાં શુક્રાણુઓની ખામી મુખ્ય અથવા તો ગૌણ ભાગ ભજવે છે. અન્ય લોહી પરીક્ષણનો સમય મહિલાઓના માસિકચક્રને ધ્યાનમાં રાખીને નિધૉરિત કરાય છે. દા.ત. ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન(એફએસએચ) તથા લ્યુટેઈનાઈઝિંગ હોર્મોન(એલએચ) નામનાં પરીક્ષણો તમારા માસિકચક્રના એક, બે કે ત્રણ દિવસમાં કરવાનાં હોય છે.

તમે અંડબીજ પેદા કરો છો કે નહીં તે જાણવા અંડબીજ ચક્ર માટે અલ્ટ્રાસોનોગ્રાફી અને અન્ય પરીક્ષણો તમારી તપાસના બીજા તબક્કામાં હિસ્ટેરોસાલપીનોગ્રામનો સમાવેશ થાય છે જેમાં તમારી ફેલોપિયનનળી (અંડવાહિની)નો એક્સ-રે લેવાય છે. જેમાં તમારા ગભૉશયના મુખમાં રંગીન દ્રવ્ય પસાર કરવામાં આવે છે જે તમારા ગભૉશયમાં પ્રવેશે છે. જે તમારી અંડવાહિની તથા ગભૉશયમાં રહેલા અવરોધોનો તાગ મેળવે છે.

જો હિસ્ટેરોસાલપીનોગ્રામમાં કોઈ તકલીફ જણાય તો હિસ્ટેરોસ્કોપી કરવા માટે જણાવાય છે. આ એક પાતળા ટેલિસ્કોપ જેવું ઉપકરણ હોય છે. તેને ગભૉશયના મુખ દ્વારા ગભૉશયમાં દાખલ કરવામાં આવે છે. જેની મદદથી ડોક્ટર અંદરની સ્પષ્ટ તસવીર નિહાળી સમસ્યાનો તાગ મેળવે છે. આ પરીક્ષણ બાદ તમારા ડોક્ટર તમને લેપ્રસ્કોપી કરવા જણાવશે. તેની મદદથી એન્ડોમીટ્રીઓસિસ તથા સ્કેરિંગ જેવી તકલીફના નિદાનમાં મહત્વનો ભાગ ભજવે છે.

તમારા ડોક્ટર તમને અન્ય જે પરીક્ષણોની સલાહ આપશે તેમાં નીચેનાં પરીક્ષણોનો સમાવેશ થાય છે.

૧) પોસ્ટકોઈટલ ટેસ્ટ, તમારા સવૉઈકલ મ્યુકસમાં પૂરતી ક્ષમતાવાળા શુક્રાણુઓની તપાસ કરવા માટે આ પરીક્ષણ કરાય છે. (આ પરીક્ષણના થોડા કલાકો અગાઉ તમારે સમાગમ માણવો જરૂરી છે. સમાગમ માણ્યાના થોડાક કલાકો બાદ તમારે ડોક્ટર પાસે જઈ સવૉઈઇકલ મ્યુકસનો નમૂનો માઈક્રોસ્કોપિક પરીક્ષણ માટે આપવો પડે છે.)

૨) એન્ડોમેટ્રિયલ ટેસ્ટ, ગભૉશયની દીવાલોની ગુણવત્તા ચકાસવા માટે કરવામાં આવે છે. એક વખત આ પરીક્ષણો પૂર્ણ થયા બાદ મોટાભાગનાં દંપતીઓને પોતાની સમસ્યાનો અંદાજ આવી જાય છે.મહિલાઓમાં વંધ્યત્વનાં મુખ્ય કારણો એન્ડોમીટ્રીઓસિસ, અંડનળીની સમસ્યાઓ, એનોવ્યુલેશન- અનિયમિત માસિકચક્ર, પોલિસીસ્ટિક ઓવરી સિંડ્રોમ (પીસીઓએસ) તથા તણાવ જેવા પરબિળો જવાબદાર હોય છે.

વંધ્યત્વ માટે સ્ત્રી-પુરુષ બંને જવાબદાર હોય છે. કેટલાક પુરુષોમાં શુક્રાણુઓની કમી હોવાને કારણે પણ વંધ્યત્વની સમસ્યા સર્જાય છે. શુક્રાણુઓની કમી ધરાવતા પુરુષો માટે મે શુક્રાણુઓની સંખ્યા વધારવા તથા તેની હલન-ચલનની શક્તિ વધારવા અંગેનું કયુબા ખાતે યોજાયેલી ૧૬મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ સેક્સોલોજીમાં એક સંશોધનપત્ર રજુ કર્યું હતું. આ ઉપરાંત મુંબઈમાં યોજાયેલી ઈન્ફર્ટિલિટી ઈન્ટરનેશનલ કોંગ્રેસ, મુંબઈ ખાતે પણ આ અંગેનું સંશોધનપત્ર રજુ કર્યું હતું. ટૂંકમાં જે દંપતી સારવાર કરાવવા તૈયાર છે તેઓ માટે વંધ્યત્વ હવે કોઈ મોટી સમસ્યા નથી.

(લેખક સાલ હોસ્પિટલમાં ચીફ સેક્સોલોજિસ્ટ અને વ્યંધત્વ નિષ્ણાત છે.)

dr9824063332@in.com

કામ સંહિતા, ડૉ..પારસ શાહ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.