આપણે જાણીએ છીએ પુરાણોમાં પણ ગાયને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગાય વિશે એવું પણ કહેવાય છે કે ગાયમાતામાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે. આપણે તો ગાયનું મહત્વ જાણીએ છીએ સાથે વૈજ્ઞાનિક રીતે પણ ગાયના છાણ, દૂધ, મૂત્રનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે.
- વૈજ્ઞાનિક સંશોધન અનુસાર ગાયના છાણાં કોલેરાનાં જંતુઓનો નાશ કરવાની શક્તિ છે.
- રશિયન વિજ્ઞાની શિરોવિચનું કહેવું છે કે ભારતીય કૂળની ગાયના દૂધમાં રેડિયોવિકીરણની રક્ષણ કરવાની સૌથી વધુ શક્તિ છે.
- ગાયની કરોડરજજુમાં સૂર્યકેતુ નાડી હોય છે. તે સૂર્યના પ્રકાશમાં જાગ્રત થાય છે અને પીળા રંગનો પદાર્થ છોડે છે. એના લીધે ગાયનું દૂધ તથા ઘી પીળાં હોય છે.
- જે ઘરની દીવાલ તથા ભોંયતિળયું ગાયના છાણથી લીંપેલું હોય તે ઘરમાં રેડિયોવિકીરણની અસર નષ્ટ થઈ જાય છે.
- ગાયનું દૂધ હૃદયરોગથી બચાવે છે.
- ક્ષયના રોગીઓને ગાયની કોઢમાં ગૌશાળામાં રાખવાથી ગાયના છાણ તથા મૂત્રની વાસથી ક્ષય રોગનાં કીટાણુઓ મરી જાય છે.
આ રીતે ગાય આપણને ખૂબ જ ઉપયોગી છે. તેથી જ આપણને ગાયનું જતન કરવું જોઈએ. - આશિષ ભાટુ, ધો.૧૦ (જામનગર)