કચ્છ યુનિવર્સિટીમાં સ્પીપાના વડાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપ્યું
કચ્છ યુનિવર્સિટીના પબ્લિક એડમિનીટ્રેશન ડિપાર્ટમેન્ટ તથા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિટ્રેશન સ્પીપાના સંયુક્ત ઉપક્રમે ૯મી ફેબ્રુઆરીએ યુનિવર્સિટીના સભાખંડમાં એક દિવસીય સેમિનાર યોજાયો હતો, જેમાં સ્પીપાના વડાએ માર્ગદર્શન આપ્યું હતું.
કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કેવી રીતે યુ.પી.એસ.સી.ની પરીક્ષા માટે પૂર્વ તૈયાર કરવી તે અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સ્પીપાના વડા જે.એમ. આચાર્યએ સ્પીપા અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, પ્રતિ વર્ષે આઇ.એ.એસ. અને આઇ.પી.એસ.ની પ્રિલિમિનરી અને મેઇન પરીક્ષામાં ઘણા ગુજરાતીઓ પાસ થાય છે. કચ્છના પોલીસ વડા ચિરાગ કોરડિયાએ સ્વઅનુભવ વર્ણવતાં જણાવ્યું કે, યુ.પી.એસ.સી.ની પરીક્ષાની તૈયારીમાં કેટલું વાંચવું એના કરતાં કેવું વાંચવુંએ મહત્વનું છે. વધારે પડતી બૂક વાંચવાથી પાસ થવાનું નથી.
સમજીને પસંદગી કમરીને બૂક વાંચવી પડે છે. કોરડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રિલિમિનરી પેપરમાં મલ્ટપિલ ચોઇસ વાળા પ્રશ્નો હશે, પરંતુ તેના ઉત્તર અનુછૈદીત હશે જેમ કે, ‘એ’ વિધાન સાચું છે. ‘એ’ અને ‘બી’ વિધાનો સાચાં છે બધાં ખોટાં છે, આ રીતે ક્રમિક ઉત્તર આપવાના હોવાથી ખૂબ જ સમજી વિચારીને પેપર લખવું પડે છે અને તે મુજબની તૈયારીઓ કરવી પડે છે.